Covid-19: અમદાવાદનો ડેથ રેટ દેશમાં સૌથી ગંભીર, દિલ્હીથી 4 ગણાં મોત

Covid-19: અમદાવાદનો ડેથ રેટ દેશમાં સૌથી ગંભીર, દિલ્હીથી 4 ગણાં મોત

અમદાવાદમાં પ્રતિ 10 લાખની વસ્તીમાં 182 લોકોનાં મોત, મુંબઈમાં ડેથ રેટ 88 અને દિલ્હીમાં 45 છે

 અમદાવાદઃ ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. દેશમાં બુધવાર રાત સુધી કોવિડ-19ના 2.85 લાખ કેસ સામે આવી ચૂક્યા છે. તેમાંથી લગભગ 8 હજાર લોકોનાં મોત થઈ ચૂક્યા છે. દેશમાં સૌથી વધુ મોતનો આંકડો મહારાષ્ટ્ર (Maharashtra)નો છે. ત્યારબાદ ગુજરાત (Gujarat) અને દિલ્હી (Delhi)માં લોકોએ જીવ ગુમાવ્યા છે. જો આપણે શહેરના હિસાબથી જોઈએ તો મુંબઈ (Mumbai)એ સૌથી વધુ લોકો ગુમાવ્યા છે. ત્યારબાદ અમદાવાદ (Ahmedabad) અને દિલ્હી આવે છે. પરંતુ આંકડાઓનું એનાલિસિસ કરવામાં આવે તો ગંભીર વાત સામે આવે છે. મુંબઈમાં ભલે વધારે લોકોનાં મોત થયા હોય પરંતુ ડેથ રેટમાં અમદાવાદ પહેલા નંબરે છે.

અમદાવાદઃ ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. દેશમાં બુધવાર રાત સુધી કોવિડ-19ના 2.85 લાખ કેસ સામે આવી ચૂક્યા છે. તેમાંથી લગભગ 8 હજાર લોકોનાં મોત થઈ ચૂક્યા છે. દેશમાં સૌથી વધુ મોતનો આંકડો મહારાષ્ટ્ર (Maharashtra)નો છે. ત્યારબાદ ગુજરાત (Gujarat) અને દિલ્હી (Delhi)માં લોકોએ જીવ ગુમાવ્યા છે. જો આપણે શહેરના હિસાબથી જોઈએ તો મુંબઈ (Mumbai)એ સૌથી વધુ લોકો ગુમાવ્યા છે. ત્યારબાદ અમદાવાદ (Ahmedabad) અને દિલ્હી આવે છે. પરંતુ આંકડાઓનું એનાલિસિસ કરવામાં આવે તો ગંભીર વાત સામે આવે છે. મુંબઈમાં ભલે વધારે લોકોનાં મોત થયા હોય પરંતુ ડેથ રેટમાં અમદાવાદ પહેલા નંબરે છે.

 પ્રાપ્ત માહિતી પ્રમાણે 80 વર્ષીય વૃદ્ધ મહિલા જે કેટલાક સમય પહેવા ભુસાવલ રેલવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં દર્દીની હાલત બગડતા 1 જૂનથી જલગાંવની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. (પ્રતિકાત્મક તસવીર)

પ્રાપ્ત માહિતી પ્રમાણે 80 વર્ષીય વૃદ્ધ મહિલા જે કેટલાક સમય પહેવા ભુસાવલ રેલવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં દર્દીની હાલત બગડતા 1 જૂનથી જલગાંવની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. (પ્રતિકાત્મક તસવીર)

મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હીની તુલના - મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હીમાં કેટલા લોકો કોરોનાથી સંક્રમિત છે? કેટલા લોકોની તપાસ થઈ ચૂકી છે? કેટલા લોકોનાં મોત થયા છે? વસ્તીના હિસાબથી ક્યાં સુધી વધુ ખતરો છે? 8 જૂનના આંકડા મુજબ કોરોનાની તપાસના મામલે દિલ્હી સૌથી સારી સ્થિતિમાં છે, જ્યારે ગુજરાત ખરાબ સ્થિતિમાં છે. દિલ્હીમાં પ્રતિ 10 લાખની વસ્તીમાં 13,053 લોકોની તપાસ થઈ છે. આ મામલામાં મહારાષ્ટ્ર (5198) બીજા અને ગુજરાત (4172) ત્રીજા સ્થાને છે.

મુંબઈ, અમદાવાદ, દિલ્હીની તુલના- મુંબઈ, અમદાવાદ અને દિલ્હીમાં કેટલા લોકોનાં મોત થઈ ચૂક્યા છે? ડેથ રેટ ક્યાં વધુ છે એટલે કે વસ્તીના હિસાબથી ક્યાં સૌથી વધુ ખતરો છે? આ સવાલોના જવાબમાં મુંબઈ અને અમદાવાદનું નામ આવે છે. મુંબઈમાં દેશના કોઈ પણ શહેરથી વધુ મોત થયા છે. પરંતુ ડેથ રેટમાં અમદાવાદ સૌથી આગળ છે.

અમદાવાદ : કોરોનાના કહેર વચ્ચે 25 જૂને GTUની એક્ઝામનું આવું છે પ્લાનિંગ


 8 જૂન સુધીના આંકડાઓ મુજબ અમદાવાદમાં પ્રતિ 10 લાખની વસ્તીમાં 182 લોકોનાં મોત કોરોનાના કારણે થયા છે. મુંબઈમાં ડેથ રેટ 88 અને દિલ્હીમાં 45 છે. એટલે કે, અમદાવાદનો ડેથ રેટ દિલ્હીથી ચાર ગણાથી પણ વધુ છે.

8 જૂન સુધીના આંકડાઓ મુજબ અમદાવાદમાં પ્રતિ 10 લાખની વસ્તીમાં 182 લોકોનાં મોત કોરોનાના કારણે થયા છે. મુંબઈમાં ડેથ રેટ 88 અને દિલ્હીમાં 45 છે. એટલે કે, અમદાવાદનો ડેથ રેટ દિલ્હીથી ચાર ગણાથી પણ વધુ છે.

0 Response to "Covid-19: અમદાવાદનો ડેથ રેટ દેશમાં સૌથી ગંભીર, દિલ્હીથી 4 ગણાં મોત"

Post a Comment

Native Banner