31મી મે સુધી લૉકડાઉન લંબાવાયું, જાણો - શું ખુલ્લુ રહેશે અને શું બંધ
Sunday, 17 May 2020
Comment
ગુજરાતમાં સરકારની હાઈ પાવર કમિટીની આ મામલે બેઠક શરૂ થઈ ગઈ છે.
31 મે સુધી લોકડાઉન લંબાવવામા આવ્યું, હોટલ-રેસ્તરાં બંધ રહેશે, મેટ્રો અને ફ્લાઇટ સેવા અત્યારે શરૂ નહીં થાય
નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના સંક્રમણને પગલે ક્ન્દ્ર સરકારે સરકારે લૉકડાઉન 4.0 મામલે જાણકારી આપી છે. જેમાં સમગ્ર દેશમાં આગામી 31મી મે સુધી લૉકડાઉન 4.0 લાગુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ સાથે એક જનરલ ગાઈડલાઈન્સ જાહેર કરી છે. જોકે, સાથે એ પણ જણાવ્યું છે કે, રાજ્ય સરકારો પોતાની રીતે ઝોન નક્કી કરી આમાં છૂટ છાટ આપી શકે છે. હાલમાં આ મામલે ગુજરાત સરકારની ઉચ્ચસ્તરીય બેઠક ચાલી રહી છે. હવે જોવાનું એ રહેશે કે, રાજ્ય સરકાર લોકડાુન 4 મામલે પોતાની ગાઈડલાઈન્સમાં શું જાહેર કરે છે.
Live Lockdown 4.0 Update
- NDMAની ભલામણ પહેલા જ તમિલનાડુ, મહારાષ્ટ્ર, પંજાબ અને મિઝોરમે 31મે સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો
- લોકડાઉનના ત્રીજા ફેઝમાં રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન પ્રમાણે અલગ અલગ છૂટ આપવામા આવી હતી
- હવે રાજ્ય સરકાર એ નક્કી કરી શકશે કે કયો વિસ્તાર રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં છે.
- રેસ્ટોરન્ટમાં હોમ ડિલેવરીને છૂટ આપવામાં આવી
- પાન મસાલા એસોસિએશને દુકાનો ખોલવા દેવા માટે આપ્યું આવેદન
- દેશભરમાં કોરોનાને લઈ 5 ઝોન તૈયાર કરાશે
- ગુજરાત સરકારની લોકડાઉન 4.0 મામલે હાઈ કમિટીની બેઠક શરૂ
- કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં 31 મે સુધી લોકડાઉન લંબાવવાનો નિર્દેશ આપ્યો
કેન્દ્ર સરકારની જનરલ ગાઈડલાઈન્સ
શું નહીં ખૂલે
- શાળા-કોલેજ,
- સ્પા, બ્યુટી પાર્લર, કોચિંગ સેન્ટર
- રેસ્ટોરન્ટ, સિનેમા બંધ રહેશે
- પાનપાર્લર બંધ રહેશે
- જીમ, સ્વિમિંગપુલ, પાર્ક બંધ રહેશે
- ધાર્મિક-સામાજિક-રાજકીય મેળાવડા બંધ રહેશે
શું ખુલી શકે છે
બેન્ક - એટીએમ
કરિયાણા
મેડિકલ શોપ
બસ સેવા - શરતો સાથે
શાકભાજી
ફૂડ ડિલેવરી
સવારે 7થી સાંજે 7 સુધી અવર જવર ચાલુ કરી શકાય છે
શું નહીં ખૂલે
- શાળા-કોલેજ,
- સ્પા, બ્યુટી પાર્લર, કોચિંગ સેન્ટર
- રેસ્ટોરન્ટ, સિનેમા બંધ રહેશે
- પાનપાર્લર બંધ રહેશે
- જીમ, સ્વિમિંગપુલ, પાર્ક બંધ રહેશે
- ધાર્મિક-સામાજિક-રાજકીય મેળાવડા બંધ રહેશે
શું ખુલી શકે છે
બેન્ક - એટીએમ
કરિયાણા
મેડિકલ શોપ
બસ સેવા - શરતો સાથે
શાકભાજી
ફૂડ ડિલેવરી
સવારે 7થી સાંજે 7 સુધી અવર જવર ચાલુ કરી શકાય છે
આ પહેલા રવિવારે લોકડાઉનનો ત્રીજો ફેઝ ખતમ થવાના છ કલાક પહેલા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કેન્દ્ર અને રાજ્ય સરકારનો પત્ર લખીને લોકડાઉન 14 દિવસ વધારવા માટે કહ્યું છે. આજે રાત્રે 9 વાગ્યે કેબિનેટ સેક્રેટરી રાજીવ ગાબા રાજ્યોના મુખ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરશે. તમિલનાડુ, મહારાષ્ટ્ર, પંજાબ અને મિઝોરમ પહેલાજ 31 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી ચૂક્યા છે.
0 Response to "31મી મે સુધી લૉકડાઉન લંબાવાયું, જાણો - શું ખુલ્લુ રહેશે અને શું બંધ"
Post a Comment